ચક્રવર્તી સમ્રાટ અશોક
અશોક મૌર્ય સમ્રાટ બિંદુસાર તથા રાણી ધર્માનો પુત્ર હતો. કહેવાય છે કે ધર્મા એક બ્રાહ્મણ કન્યા હતી. એક દિવસ તેને સ્વપ્ન આવ્યુ કે તેનો પુત્ર ખૂબ મોટો સમ્રાટ બનશે. ત્યારબાદ તેને રાજા બિંદુસારે પોતાની રાણી બનાવી દીધી. ક્ષત્રિય કુળની ન હોવાથી ધર્માને રાજકુળમાં કોઈ વિશેષ સ્થાન પ્રાપ્ત ન હતું.
અશોકને ઘણા ભાઈ-બહેન (સાવકા) હતા. નાનપણથી જ તેમની વચ્ચે ઘણી સ્પર્ધા રહેતી. અશોક માટે કહેવાય છે કે તે યુદ્ધ કળામાં પ્રવિણ હતો.
અશોકનો મોટો ભાઈ સુસિમ તે સમયે તક્ષશિલાનો પ્રાંતપાલ હતો. તક્ષશિલામાં ભારતીય-યુનાની મૂળના ઘણા લોકો રહેતા હતા એટલે તે ક્ષેત્ર વિદ્રોહ માટે ઉપયોગી હતું. સુસિમનું અકુશળ શાસન આ વિદ્રોહનું કારણ બની ગયું. રાજા બિન્દુસારે સુસિમના કહેવાથી અશોકને વિદ્રોહનું દમન કરવા મોકલ્યો. અશોકના આગમનના સમાચાર સાંભળતા જ વિદ્રોહીઓનો વિદ્રોહ આપમેળે શાંત થઈ ગયો. અશોકના શાસનકાળ દરમિયાન પણ તક્ષશિલામાં ફરી વિદ્રોહ થયો હતો જેને બળપૂર્વક દબાવી દેવામાં આવ્યો હતો.
અશોકની આ સિદ્ધિથી તેના ભાઈ સુસિમને સિંહાસન મળવા પર ખતરો વધી ગયો. તેણે રાજા બિંદુસારને પોતાના પક્ષમાં કરી અશોકને દેશનિકાલ આપ્યો. અશોક કલિંગ ચાલ્યો ગયો. જ્યા તેને મત્સ્યકન્યા કૌર્વકી સાથે પ્રણય થયો. હાલમાં મળેલ પ્રમાણ અનુસાર અશોકે તેને પોતાની બીજી કે ત્રીજી રાણી બનાવી હતી.
આ દરમ્યાન ઉજ્જૈનમાં વિદ્રોહ ફાટી નીકળ્યો એટલે નિર્વાસિત અશોકને પરત બોલાવવામાં આવ્યો. નિર્વાસન દરમિયાન અશોક બૌદ્ધ સન્યાસીઓ સાથે રહ્યો જેથી તેને બૌદ્ધ વિધિ-વિધાનો તથા શિક્ષાઓ વિશે જાણવા મળ્યું. તેને એક સુંદરી 'દેવી'નો સંગાથ મળ્યો, જેની સાથે તેણે લગ્ન કરી લીધાં.
થોડા વર્ષો પછી રાજાની બિમારી અને સુસિમથી કંટાળેલ લોકોએ અશોકને સિંહાસન પર કબ્જો લેવા પ્રોત્સાહિત કર્યો. સત્તા પર આવતા જ અશોકે પૂર્વ અને પશ્ચિમ દિશામાં પોતાના રાજ્યનો ફેલાવો કર્યો. તેણે હાલના આસામથી ઈરાનની સરહદ સુધીનો વિસ્તાર ફક્ત આઠ વર્ષમાં પોતાને હસ્તગત કરી લીધો હતો.
ગુજરાતનો સહુથી પ્રાચીન શિલાલેખ : અશોકનો શીલાલેખ :
ગુજરાતનો શીલાલેખ
ગુજરાતનો સૌથી પ્રાચીન અને ઐતિહસિક Ashok no Shilalekh જુનાગઢની પશ્ચિમે આવેલ છે. ગીરીનાગરના આ શીલાલેખનું અનેક રીતે મહત્વ છે. આ એક જ પથ્થર પર ત્રણ મકાન જુદા-જુદા સમયની તવારીખો શાશકોના લેખ કોતરવામાં આવ્યા છે. જેમાં
-પેહલો લેખ મોર્ય સમ્રાટ અશોકનો છે. ઈ.સ. પૂર્વે ૨૫૬મ કોતરવામાં આવ્યો છે.
-મહાક્ષત્ર રુદ્રમાનો ઈ.સ. ૧૫૦ નો અને
-મહાન ગુપ્ત સમ્રાટ સ્કંદ ગુપ્તનો ઈ.સ. ૪૫૭ માં કોતરવામાં આવ્યો છે.
આ રીતે લગભગ ૭૦૦ થી ૮૦૦ વર્ષ સુધીનો સમય આ શિલાલેખ નોંધે છે. જે ગુજરાતનો સૌથી પ્રાચીન અને અપૂર્વ છે. આ Ashok no Shilalekh શંકુ આકારનો છે અને તે જમીનથી લઘ્ભાગ ૧૨ ફૂટ ઉંચો છે. નીચેના ભાગમાં તેનો ઘેરાવો ૭૫ ફૂટ છે. સમ્રાટ અશોક ની ૧૪ ધર્મ લીપીઓ તેમાં કોતરાયેલી હોવાથી અને હાલમાં સામાન્ય રીતે અશોકના ગીરનાર શૈલશનો તરીકે ઓળખાય છે. તે ઉપરથી અશોક મોર્યનું શાસન આ પ્રદેશમાં હોવાનું ફલિત થાય છે.
કલિંગનુ યુધ્ધ
કલિંગનુ યુદ્ધ અશોકના જીવનપરિવર્તન માટે નિર્ણાયક સાબિત થયું. આ યુદ્ધમાં થયેલા માનવસંહારથી તેનું મન દુઃખ અને વેદનાથી ભરાઈ ગયું અને પછીથી ભગવાન બુદ્ધના ઉપદેશોથી પ્રભાવિત થઈ તેણે બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો હતો. ત્યારબાદ તેના પ્રજાવત્સલ કાર્યોને કારણે તે પ્રિયદર્શી તરીકે ઓળખાયો
અવસાન
અશોકે લગભગ ૪૦ વર્ષ સુધી શાસન કર્યું. તેનું અવસાન ઇ.પૂ. ૨૩૨માં થયું હતું. તેના ઘણા સંતાન અને રાણીઓ હતા, પરંતુ ઇતિહાસકારો પાસે વધારે માહિતી નથી. તેના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ઘણુ યોગદાન આપ્યું હતું. અશોકના મૃત્યુ પછી મૌર્ય વંશનું શાસન લગભગ ૬૦ વર્ષ ચાલ્યુ હતું.





Superb work di
ReplyDelete